Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રશ્નપત્રો જ સેન્ટર પર ન પહોંચતા વિદ્યાર્થીઓનો હોબાળો

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીજા તબક્કાની સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ થઈ છે. જેમાં એમ.એ સેમેસ્ટર૧-૧ની પરીક્ષામાં એક કોલેજમાં પ્રશ્નપત્રો પહોંચ્યા ન હતા, જેથી એનએસયુઆઈના વિદ્યાર્થી કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને અંતે યુનિવર્સિટીની સૂચના મુજબ પ્રશ્નપત્રની ઝેરોક્ષ કરીને વિદ્યાર્થીઓને આપવી પડી હતી.

ગુજરાત યુનિ.ની ૨૦મી ડિસેમ્બરથી યુજી-પીજીના વિવિધ કોર્સની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ શરૃ થઈ છે. જેમાં  ડિસેમ્બરથી એમ.એ, એમ.કોમ. અને એમએસસી સેમેસ્ટર ૧ની પરીક્ષા શરૂ થઈ છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ છબરડાની ફરિયાદ ઉઠી હતી.

(12:01 pm IST)