Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વડોદરાના આજવા રોડ પર બે સોસાયટી તસ્કરોની નિશાન બની: બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ બે લાખથી વધુની મતા તફડાવી

વડોદરા:આજવારોડ રામપાર્કની પાસે આવેલી ખતીજાપાર્ક સોસાયટી અને પોલોગ્રાઉન્ડ પાસે આવેલી રાજદીપ સોસાયટીના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો બે લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે આજવારોડ ખતીજાપાર્કમાં રહેતા રમીયાબીબી સઇદઅહેમદ સૈયદ ગત ૩૧મી ઓગસ્ટે રાત્રે સાડા દશ વાગ્યે ઘર બંધ કરીને ગોરવામાં રહેતા જેઠના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરો દરવાજાના તાળાનો નકુચો કાપીને ઘરમાં ઘૂસી સોનાના દાગીના તેમજ રોકડા ૨૨ હજાર રૂપિયા મળીને ૧.૨૭ લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા હતા. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)