Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

અરવલ્લીના ગલસુંદરામાં પત્ની પર કેરોસીન છાંટી જીવતી સળગવાની કોશિશ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અરવલ્લી: જિલ્લાના મોડાસા ગ્રામ્ય પોલીસ મથકની હદના ગલસુંદરા ગામે પત્ની ઉપર કેરોસીન છાંટીને તેને જીવતી જલાવી મૂકવાના આરોપસર પોલીસે મૃતક મહિલાના પતિ વિરૂધ્ધ ખૂનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રસીકભાઈ કાવજીભાઈએ સરકાર તરફથી નોંધાવેલ ફરિયાદના આધારે મોડાસા ગ્રામ્ય પોલીસે ગઈકાલે ખૂનનો ગુનો દાખલ કરીને સબ ઈન્સ્પેક્ટર કે.ડી. બ્રહ્મભટ્ટે વધુ તપાસ હાથ ધરી છે.

મોડાસા ગ્રામ્ય પોલીસ મથકની હદના ગલસુંદરા ગામે મણીબેન પ્રતાપભાઈ પરમાર (ઉ.વ. ૪૫) નામની મહિલા ઉપર ગત તા. ૩૧મીની વહેલી પરોઢના કેરોસીન છાંટીને તેને દિવાસળી ચાંપીને જીવતી જલાવી મૂકવાનો પ્રયાસ થયાની માહિતી જાણવા મળતાં સ્થાનિક પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રસીકભાઈ કાવજીભાઈએ પ્રાથમિક તપાસ શરૂ કરી ત્યારે આ મહિલાના પતિએ જ આવું હીચકારુ કૃત્ય આચર્યું હોવાની વિગતો જાણવા મળી હતી. દરમ્યાન આખા શરીરે સખ્ત રીતે દાઝી ગયેલ મણીબેનનું મોત નિપજ્યું હતું.

(2:39 pm IST)