Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

વડોદરામાં બંધ મકાનમાંથી તસ્કરોએ 1.36 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા:શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ઓએનજીસીના નિવૃત કર્મચારીના બંધ મકાનના બગીચામાં મુકેલી સિડી મારફત તસ્કરે મકાનના ઉપરના માળે જઈને ૧.૩૬ લાખની મતાની ચોરી કરી હતી. 

તરસાલી-નોવિનોરોડ પર યોગેશ્વર સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય શંકરકુમાર ઝા ઓએનજીસીમાં નિવૃત થયા છે. તેમનું ગાંધીનગરમાં પણ મકાન હોઈ તે ગત ૧૯મી તારીખના બપોરે મકાન બંધ કરી ગાંધીનગર અને ત્યાંથી દિલ્હી ગયા હતા. તેમણે મકાનમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે જે તેમના મોબાઈલ ફોન સાથે કનેક્ટ કરેલા છે.

ગત ૩૦મી ઓગસ્ટેના રાત્રે તે વડોદરા સ્થિત મકાનની મોબાઈલ ફોન પર સીસીટીવી કેમેરા મારફત તપાસ કરતા હતા તે સમયે તેમને મકાનના બગીચામાં એલ્યુમિનિયમની સિડી મકાનના ઉપલા માળે જવાય તે રીતે મુકેલી દેખાઈ હતી. તેમણે શંકા જતા તુરંત એક પરિચિતને મકાનમાં તપાસ કરવા મોકલ્યા હતા.

(2:38 pm IST)