Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ખંભાતના કાણીસામાં અજાણ્યા આધેડનો કેનાલમાંથી મૃતદેહ મળી આવતા તપાસ શરૂ

ખંભાત:ના કાણીસા ખાતે મહી કેનાલમાં આજરોજ સવારના ૯:૩૦ કલાકની આસપાસ એક ૬૦ વર્ષીય અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા કેનાલ સુપરવાઈઝર ચીમનભાઈ ઉદેસિંહ પરમારે ખંભાત રૂરલ પોલીસ મથકે જાણ કરી હતી. 

 


પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતદેહને બહાર કાઢી હાલ અકસ્માતે મોત નોંધી વાલીવારસ શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. મરણ જનાર પુરુષે ગુલાબી રંગની ટી-શર્ટ અને કપાળ પર ઈજાના નિશાન મળી આવ્યા છે. જેને લઈને વૃધ્ધની હત્યા કરાઈ હોવાની પણ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે. 
 

(2:37 pm IST)