Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ગેટ પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ પર બંધ નહીં થાય ત્યાં સુધી મેડિકલ ચેકઅપ નહીં કરાવું: હાર્દિક પટેલનો ધ્રુજારો

અમદાવાદ :પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસના નવમા દિવસે આજે અચાનક ઉપવાસ છાવણી બહાર સમર્થકોના  ટોળા ભેગા થયા હતા. પોલીસે ખાસ લોકોને જ હાર્દિક સાથે મુલાકાત કરવા દે છે. તમામ લોકોને અંદર જવા દેવામાં આવતા નથી. આથી પાસના કાર્યકરો ઉશ્કેરાય ગયા હતા.

આ દરમિયાન ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ લાઠીચાર્જથી હાર્દિક નારાજ થયો હતો. તેણે કહ્યું કે, પોલીસ જ્યાં સુધી લાઠીચાર્જ બંધ નહીં કરે ત્યાં સુધી હું મેડિકલ ચેકઅપ કરાવવાનો નથી. 

(8:04 pm IST)