Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

દાંતીવાડાના ડેરી ગામમાં રીંછ ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ:રીંછ લીમડાના ઝાડ પર ચડ્યું :વનવિભાગ પહોંચ્યું

દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં એક રીંછ ઘુસી આવતા ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો છે આ રીંછ પાદરના લીમડાના ઝાડ પર ચડી ગયુ હતું. રીંછને ઝાડ પર ચડી ગયેલું જોઇને ગ્રામજનો ભેગા થઇ ગયા હતા. પરંતુ તેમણે અન્ય કોઇ રસ્તો અપનાવવાને બદલે વન વિભાગને જાણ કરાઇ હતી. વન વિભાગે આવીને રીંછને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી.

(6:28 pm IST)