Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પાલનપુરમાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવા લોકલાગણી

પાલનપુર :આજે ગાંધી જયંતીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. અનેક જગ્યાએ મહાનુભાવો ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરીને પુષ્પાંજલી અર્પણ કરતાં હોય છે. પરંતુ બનાસકાંઠામાંના મુખ્યાલય પાલનપુરમાં ગાંધીજીની પ્રતિમા ક્યાંય નથી. પાલનપુરમાં અન્ય મહાનુભાવોની પ્રતિમાઓ છે. ત્યારે હવે અહીં ગાંધીજીની પણ પ્રતિમા સ્થાપિત કરવા માંગ ઉઠી છે.  

  પાલનપુરમાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવા ભાજપ કે કોંગ્રેસ પાસે કોઈ જવાબ નથી. નગરપાલિકા અને વહીવટી તંત્રએ અગાઉ ગાંધીજીના સ્ટેચ્યુ માટે કોજી વિસ્તારમાં જગ્યા ફાળવી હતી. પરંતુ તંત્રની બેદરકારીને કારણે અન્ય પ્રતિમાને સ્થાન મળ્યું નથી .

(12:12 pm IST)