Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

વડોદરાના પાદરામાં ગણેશ પંડાલમાં કામ કરતી વખતે કરંટ લાગતા આશાસ્પદ યુવકનું કરૂણમોત

ફરાસખાનાનો કારીગર તાંડપત્રી મારવા થાંભલે ચડ્યો હતો

     ફોટો padara

વડોદરાના પાદરામા કરંટ લાગતા 28 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત થયું હતુ. ગણેશ પંડાલને તાડપત્રી મારવા જતા થાંભલા પરથી નીચે ઉતરતા યુવકને કરંટ લાગ્યો હતો. યુવકે તાત્કાલિક સારવાર માટે પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયો હતો. જો કે સારવાર દરમ્યાન મોત થયુ હતુ

 હણવા મળ્યા મુજબ . ફરાસખાનાનો કારીગર તાંડપત્રી મારવા ચડ્યો હતો. વડોદરામાં કરંટ લાગતા યુવકની આ બીજી ઘટના છે. થોડા દિવસ પહેલા ગણેશજીને લાવતી વખતે કરંટ લાગતા પણ યુવકનું મોત થયું હતુ. જ્યારે બેથી ત્રણ યુવકો ઘાયલ થયા હતા.

(8:15 pm IST)