Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

નર્મદા જિલ્લામાં મંગળવારે ૪ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૨૫૮ પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૪ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં રાજેન્દ્રનગર ૦૨, નાદોદ તાલુકામાં ટીંબી ૦૧, ગરુડેશ્વર તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી, તિલકવાડા તાલુકામાં કંથરપુરા ૦૧ , ડેડીયાપાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી, સાગબારા તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી જિલ્લામાં કુલ ૦૪ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૩ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૪ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૬૯ દર્દી દાખલ છે. આજે ૪૦ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૪૧૧૬ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૫૮ પર પહોચ્યો છે.આજે વધુ ૧૨૦૨ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(11:45 am IST)