Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

સુરતમાં વૈષ્‍ણવાચાર્ય પૂજય જયદેવ લાલજીના સાનિધ્‍યમાં રવિવારે ફુલફાગ રસિયા ગાન

રાજકોટ તા.ર : સુરતમાં વૈષ્‍ણવાચાર્ય પુ. જયદેવલાલજીના સાનિધ્‍યમાં રવિવાર ફુલ ફાગ રસિયા ગાન મહોત્‍સવનું શ્રીમદ વલ્લભાચાર્ય સેવા સંઘ દ્વારા ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ વેળાએ પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પણ પ્રેરક ઉપસ્‍થિતિ રહેશે.

શ્રીમદ વલ્લભાચાર્ય સેવા સંઘ દ્વારા વૈષ્‍ણવ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે તેમજ નવી પેઢીમાં  સંસ્‍કારોનું સિંચન કરવા માટે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી તા.પના રોજ સુરતના ઉત્રાણમાં વી.આઇ.પી. સર્કલની બાજુમાં પાવર હાઉસની સામે આવેલ સુરજ ફાર્મ ખાતે રાત્રે ૮.૩૦ થી ૧૧ દરમિયાન ફુલ ફાગય રસિયા ગાન મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવ પૂ. વૈષ્‍ણવાચાર્ય જયદેવલાલજી મહોદય (કડી - અમદાવાદ - દિલ્‍હી)ના સાનિધ્‍યમાં યોજાશે. આ વેળાએ પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પણ પાવન ઉપસ્‍થિતિ રહેશે.

હોળી ફુલ ફાગ રસિયા ગાન સાંસ્‍કૃતિક કાર્યક્રમનો દિવ્‍ય લાભ વૈષ્‍ણવોને મળવા જઇ રહયો છે ત્‍યારે મનોરથી દિનેશભાઇ ઠુમ્‍મર, પ્રવિણભાઇ ઠુમ્‍મર, અલ્‍પેશભાઇ ઠુમ્‍મર, મનીષભાઇ ઠુમ્‍મર, કંચનબેન ઠુમ્‍મર, કૈલાશબેન ઠુમ્‍મર, જલ્‍પાબેન ઠુમ્‍મર, મયુરીબેન ઠુમ્‍મરે આમંત્રણ પાઠવ્‍યું છે

(3:58 pm IST)