Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ભરૂચમાં લગનમાં જવા નિકળેલી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઈનની ચીલઝડપ કરી ગઠીયા ફરાર

 

ભરૂચના અયોધ્યાનગર વિસ્તારમાં લગ્નમાં જવા નીકળેલ એક મહિલાના ગળામાંથી સ્કૂટર પર આવેલા બે ગઠિયાઓ મંગળસૂત્ર અને સોનાની ચેઇનની ચીલઝડપ કરી ફરાર થયા છે .

   ભરૂચમાં અયોધ્યાનગરના તોરણ ફળિયામાં બન્યો હતો. અયોધ્યાનગરના મકાન નં. ૨પ૮૨ રહેતા મીનાબેન કમલકાંત પટેલ વાગરા ખાતે લગન્માં જવા નિકળ્યા હતા. તેઓ પોતાના ઘરની બહાર હતા તે દરમિયાન પૂર ઝડતે બાઇક પર આવેલા બે ગઠિયાઓએ ચીલઝડપ કરી તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેઇન તફડાવી ફરાર થઇ ગયા હતા

  બનાવના પગલે મીનાબેને બૂમરાણ મચાવતા આસપાસના મકાનોમાંથી લોકો દોડીને બહાર આવ્યા હતા.પરંતુ ગઠિયાઓ આંખના પલકારામાં પલાયન થઇ ગયા હતા. એક લાખ ઉપરાંતની સાડાચાર તોલાની સોનાની મત્તાની ચીલઝડપ થઇ હોવાના પગલે મીનાબેને એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું કહેવાય છે જોકે પોલીસે આવી કોઇ ફરિયાદ નોંધાયેલ ન હોવાનો ખુલાસો કર્યો હતો

(11:47 pm IST)