Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

સુરતના અડાજણમાં પરણિત મહિલા તબીબે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

સાસરિયાઓ છૂટાછેડા માટે દબાણ કરતા અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા

સુરતમાં અડાજણ વિસ્તારમાં એક પરિણીત મહિલા ડોક્ટરે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે

   જાણવા મળ્યા મુજબ 28 વર્ષીય તબિબ પરિણીતાએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરતા સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી.

 પોલીસને પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું હતું કે, સાસરિયાઓ છૂટાછેડા માટે દબાણ કરતા હોવાની અંતિમ પગલું ભર્યું હશે. જોકે, સંપૂર્ણ તપાસબાદ જ આત્મહત્યાનું સાચું કારણ જાણવા મળશે. અડાજણ પોલીસે ગુનો નોંધા વધુ તપાસ હાથધરી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં 29 વર્ષીય ડો દિપાલીના લગ્ન ચિંતન ઠાકોરભાઇ પટેલની સાથે વર્ષ 2013માં થયા હતા. ત્યારબાદ બંને સુખી લગ્ન જીવન જીવતા હતા.

આજે શુક્રવારે સાંજના સમયે ડો.દિપાલીએ પોતાના રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

(11:13 pm IST)