Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

રવિવારે વડતાલમાં શ્રીમાળી સોની ' મહાજંનો ' નો મહામેળો

શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળની 17મી પરિષદ : ગોમતી કિનારે જ્ઞાતીગંગાના વિરાટ દર્શન કરવા ગામેગામથી 'મહાજનો ' ઉમટશે : પરિષદની પૂર્વ સંધ્યાએ જ્ઞાતિના કલાકારો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોં : જ્ઞાતિજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહનો સંચાર : પરિષદની તડામાર તૈયારીઓ : વ્યવસ્થા માટે વિવિધ સમિતિઓ ખડેપગે

રાજકોટ : શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળની દર પાંચ વર્ષે યોજાતી પરિષદ માટે મહાજનોમાં અનેરો થનગનાટ પ્રવર્તે છે મહામંડળની સ્થાપનાને આઠ દાયકા પૂર્ણ થયા છે અવિરત ચાલતી સેવાયાત્રામાં પ્રતાપી પૂર્વજો અને તત્કાલીન પ્રમુખોએ અથાગ પ્રયત્નોથી વિકાસગાથાને પ્રજ્વલિત રાખી છે ત્યારે યાત્રાધામ વડતાલ મુકામે શ્રી લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં આગામી તા,5ને રવિવારે 17મી પરિષદનું આયોજન કરાયું છે

  અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળની 17મી પરિષદ માટે ગોમતી કિનારે જ્ઞાતીગંગાના  વિરાટ દર્શન કરવા દેશ વિદેશથી અને રાજ્યભરના ગામે ગામથી જ્ઞાતિજનો ઉમટશે,મહામંડળની વિકાસ ગાથાના નિરૂપણ સમી પરિષદમાં પરપસ્પર વિચાર વિનિમય થાય અને સમાજ સેવાના સંકલ્પ રૂપે રિઝર્વ ફંડ વધુ સમૃદ્ધ બને તેવા ભવ્ય અને ભાવનાત્મક આશ્રય સાથેની પરિસદની પૂર્વ સંધ્યાએ જ્ઞાતિના કલાકારો પોતાની કલાના કામણ પાથરશે અને જ્ઞાતિજનો સમક્ષ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરશે

  મહામંડળની 17મી પરિષદ માટે રાજ્યભરમાં ગામેગામ મહાસમિતિના સભ્યો સહિતના આમંત્રણ પત્રિકાઓ વિતરણ કરેલ છે અને બેનરો લગાવી પરિષદમાં પધારવા ઇજન આપી રહ્યાં છે ત્યારે પરિસદ માટે જ્ઞાતિજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહનો સંચાર થયો છે

   ગોમતીકિનારે જ્ઞાતિ ગંગાના વિરાટ દર્શન સમી પરિષદ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે વિશાળ જ્ઞાતિ સમૂહની વ્યવસ્થા માટે વિવિધ સમિતિઓ ખડેપગે સેવારત બની છે રવિવારે સવારે ધ્વજવંદન બાદ મહામંડળની ભવ્ય શોભાયાત્રા નીકળીને પરિસદ સ્થળે હરિકૃષ્ણ યાંત્રિક ભુવન ગોમતી કિનારે પહોંચીને પરિષદનું ઉદ્ધઘાટન થશે પરિષદના ઉદ્ધઘાટન બાદ મહાનુભાવો અને હોદેદારોનું મંચ પર સ્થાનગ્રહણ કરશે અને પ્રાર્થના કરાશે

  પરિષદના દીપ પ્રાગટ્ય બાદ પરિષદના ઉદ્ધઘાટક અરવિંદભાઈ સોનીનું પ્રારંભિક ઉદબોધન બાદ સ્વાગત પ્રમુખ પ્રાણજીવનભાઈ ઝવેરી આવકાર પ્રવચન કરશે અને નિવૃત પ્રમુખ શશિકાન્તભાઈ પાટડીયા આવકાર પ્રવચન કરશે ત્યારબાદ 17માં સત્રના વરાયેલ પ્રમુખ ડો, જયેન્દ્રભાઈ રાણપુરા અને ઉપપ્રમુખ હેમેન્દ્રભાઈ સોનીને બેજ પહેરાવવાની વિધિ થશે 17માં સત્રના પ્રમુખ અને ઉપ પ્રમુખનું સન્માન બાદ સ્વાગત પ્રમુખ પ્રાણજીવનભાઈ ઝવેરી ,ઉદ્ધઘાટક અરવિંદભાઈ સોની,ભોજનદાતા અશોકભાઈ ઝીંઝુવાડિયા,મુખ્ય મહેમાન જનકભાઈ પારેખ,મનોરંજન દાતા શ્રીમતી મીનાબેન ઝવેરી,અતિથિ વિશેષ અને દાતાઓનું સનમાન કરાશે ,

  પરિષદમાં બપોરે પ્રમુખ ડો, જયેન્દ્રભાઈ રાણપુરા પોતાનું વક્તવ્ય આપીને સંદેશ આપશે સમગ્ર શ્રીમાળી સોની સમાજને આગામી યોજના અને આયોજન અંગે માહિતગાર કરશે ઉપ પ્રમુખ હેમેન્દ્રભાઈ સોની,નાનાલાલ સોની,ડો,હર્ષદભાઈ ઝીંઝુવાડિયા અને અતિથિ  વિશેષો પણ પોતાનું વક્તવ્ય આપશે અંતમાં પ પુ , દેવપ્રસાદજી બાપુ સૌને આશીર્વચન પાઠવશે પરિષદમાં વિવિધ સંસ્થાઓ,જ્ઞાતિમંડળો જ્ઞાતિજનો અને મહાનુભાવો દ્વારા સન્માન બાદ અંતમાં આભારવિધિ સ્વાગત મંત્રી હરુભાઈ ઝવેરી કરશે

 

(9:09 pm IST)