Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

‘અનુપમા' સિરીયલમાં અનુજ અને અનુપમાના લગ્નની વાત થશેઃ ક્‍યારેય પરિવારને છોડીને જશે નહીં તેવુ વચન માલવિકા પાસે માંગશે

અનુજને પ્રેમ કરે છે એ વાત કહેતા કહેતા વનરાજ સામે અટકી જશે અનુપમા

નવી દિલ્હી: માલવિકાની અનુપમા સિરિયલમાં એન્ટ્રી થવાથી શોની કહાનીમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. પરંતુ આવનારા એપિસોડમાં અનુજ અને અનુપમાના લગ્નની વાત થશે. ખાસ વાત એ છે કે શોમાં માલવિકા અનુપમા સામે અનુજ સાથે લગ્નની વાત કરશે ત્યારબાદ અનુપમા માલવિકા સામે એક શરત મૂકશે. હવે જોવાનું એ રહેશે કે માલવિકા આ શરતને માનશે કે નહીં.

અનુપમા માલવિકા સામે મૂકશે શરત

માલવિકા અનુજને કહેશે કે તમે હજુ સુધી લગ્ન માટે અનુપમાને પ્રપોઝ કેમ કર્યું નથી? શોના આવનારા એપિસોડમાં જોવા મળશે કે અનુપમા ખુબ વિચાર્યા બાદ લગ્ન માટે માલવિકા સામે શરત મૂકશે.

માલવિકા પાસે માંગશે વચન

અનુપમા માલવિકાને કહેશે કે તે તેને વચન આપે કે તે ક્યારેય તેના પરિવારને છોડીને જશે નહીં. જો આ વચન આપે તો તે અનુજ સાથે લગ્ન કરી શકે છે. માલવિકા આ શરત માનશે કે નહીં અને અનુજ-અનુપમાના લગ્ન થશે કે પછી નહીં તે આવનારા એપિસોડમાં જોવા મળશે.

માલવિકા અનુજને કહેશે અનુપમાનો ચમચો

આવનારા એપિસોડમાં માલવિકા અનુજને અનુપમાનો ચમચો કહીને પણ બોલાવશે. વાત જાણે એમ છે કે વનરાજ અને માલવિકા અનુજની ઓફિસ આવે છે જ્યાં તેમની મુલાકાત અનુપમા સાથે થાય છે. આ દરમિયાન ચારેય પરસ્પર બિઝનેસની વાતો કરે છે. ત્યારે કોઈ વાત પર અનુજ અનુપમા પ્રત્યે પોતાની સહમતિ વ્યક્ત કરે છે. જેના પર માલવિકા અનુજને કહે છે કે તમે અનુપમાની કોઈ વાતથી અસહમત થાઓ છો. ત્યારબાદ તે અનુજને અનુપમાનો ચમચો કહીને બોલાવે છે.

અનુપમા વનરાજને કહેશે દિલની વાત

ત્યારબાદ અનુપમા અને વનરાજ એક સાથે બેસીને વાત કરશે. આ દરમિયાન અનુપમા અનુજને પ્રેમ કરે છે એ વાત કહેતા કહેતા વનરાજ સામે અટકી જશે. આવામાં જોવાનું  એ રહેશે કે આવનારા એપિસોડમાં અનુપમા પોતાના મનની વાત વનરાજને કહી શકશે કે પછી પોતાના હ્રદયના હાલ સીધા જ અનુજ સામે ખોલી નાખશે.

(4:46 pm IST)