Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

'ઇશ્કબાજ'ની નિતીકાએ આપ્યો દિકરીને જન્મ

ટીવી શો 'ઇશ્કબાજ'માં પિન્કીનો રોલ નિભાવી ચુકેલી અભિનેત્રી નિતિકા મુખર્જીએ દિકરીને જન્મ આપ્યો છે. ઘરમાં લક્ષ્મીજીના આગમનથી નિતિકા અને તેનો પરિવાર અત્યંત ખુશ છે. નિતિકાએ સોશિયલ મિડીયા પર આ વાત તેના ચાહકો માટે રજૂ કરી હતી. તેણે સોળમી જુલાઇએ પરી જેવી દિકરીને જન્મ આપ્યો છે. તેણે કહ્યું હતું કે હું ખુબ ભાગ્યશાળી છું અનેમ ારી દિકરી ખુબ શાંત છે.અમે તેનું નામ હજુ રાખ્યું નથી. નિતિકાએ ૨૦૦૬માં ઇન્દ્રજીત મુખર્જી સાથે લગ્ન કર્યા હતાં. મેટરનિટી લિવ માટે નિતિકાએ ટીવી શો ઇશ્કબાજ છોડી દીધો હતો. તેના પતિ આ ઇન્ડસ્ટ્રી સાથે જ જોડાયેલા છે. તેણે ટીવી સિરીયલ 'મોહ મોહ કે ધાગે'માં કામ કર્યુ હતું.

(9:35 am IST)