Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

અજયની ફિલ્મ માટે ચાહકોએ જોવી પડશે રાહ

સુપરસ્ટાર અજય દેવગણની છેલ્લે આવેલી ફિલ્મ તાનાજી-ધ અનસંગ વોરિયર જબરદસ્ત હિટ નિવડી હતી અને ખુબ કમાણી કરી હતી. વળી થ્રીડી ફોર્મેટ પણ હોઇ લોકોને વધુ મનોરંજન મળ્યું હતું. અજયની અન્ય ફિલ્મોમાં મૈદાનનું શુટીંગ ચાલુ થઇ ગયું હતું. પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉન નડી જતાં આ ફિલ્મનું કામ અટકી ગયું છે. અજયની આ ફિલ્મ આ વર્ષના નવેમ્બર માસમાં રિલીઝ કરવાની હતી. તારીખ પણ નક્કી થઇ ગઇ હતી. પરંતુ હવે તેના ચાહકોને વધુ સમય રાહ જોવી શકશે. કારણ કે નિયત સમયે આ ફિલ્મ રિલીઝ થઇ શકે તેમ નથી. આ વર્ષમાં અનેક એવી ફિલ્મો છે કે જેની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતાં તે રિલીઝ થાય તેવા અણસાર નથી. અજયની આ ફિલ્મ પણ હવે ૨૦૨૧માં રિલીઝ થાય તેવી શકયતા છે. મૈદાનનો અજયનો પહેલો લૂક જોઇને ચાહકો ખુશ થયા હતાં. અલગ કહાની અને ફૂટબોલ કોચના દમદાર પાત્રમાં અજય જોવા મળશે. સૂર્યવંશીમાં પણ અજયનો અક્ષય સાથે ખાસ રોલ છે.

(9:48 am IST)