Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

હવે રાનુ મંડલના જીવન પર બનશે ફિલ્મ: આ મહાન અભિનેત્રી નિભાવશે તેમનું પાત્ર

મુંબઈ: દેશની મહાન ગાયિકા લતા મંગેશ્કરનું ગીત એક પ્યાર કા નગ્મા ગાઈને ચર્ચામાં આવેલ રાનુ મંડલના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે ક્યારેક કોલકતાના  સ્ટેશન પર ગીત ગાનાર આ રાનુ મંડલની જિંદગીથી પ્રેરિત થઈને નિર્માતા ઋષિકેશ મંડલ હવે તેમના જીવન પર બાયોપિક ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.

             આ ફિલ્મ માટે બંગાળી અભિનેત્રી સુદીપ્તા ચક્રવર્તીને પસંદ કરવામાં  આવી છે આ સંબંધમાં સુદીપ્તા ચક્રવર્તીએ જણાવ્યું છે કે તેમને ફિલ્મની ઓફર કરવામાં આવી છે. ફિલ્મની સ્ક્રીપટ મળતા તે તુરંત નક્કી કરશે  કે તે આ ફિલ્મમાં કામ કરવા ઈચ્છે છે કે નહીં.

(5:52 pm IST)