Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ટીવી શોમાં કરણને મળ્યો વકિલનો રોલ

સોની ટીવી પર દર્શાવાઇ રહેલા શો 'ઇશારો ઇશારો મેં'માં અભિનેતા કરણ ગોધવાણીની એન્ટ્રી થઇ રહી છે. આ શોમાં અનેક ચોંકાવનારા વણાંકો આવતા રહે છે. જે અંતર્ગત હવે કરણ ગોધવાણી એન્ટ્રી કરશે. શોમાં યોગી અને ગુંજનના લગ્ન થઇ ગયા છે. ગુંજન સગર્ભા છે અને યોગી તેની પ્રેમિકા પરીને પણ લાઇફમાં સેટલ થવા અને ભુતકાળ ભુલી જવા સમજાવી રહ્યો છે. કારણ કે ગુંજનને પરીને કારણે થોડી ચિંતા હોય છે. પરીનું પાત્ર ભજવતી દેબાત્તમા સહાની સામે કરણનું પાત્ર આવશે. કરણ આ શોમાં વકિલ સૂજોય મુખર્જીના રોલમાં જોવા મળશે. કરણે કહ્યું હતું કે આ શો મને મળતાં હું ઉત્સાહિત છું. મારા પાત્રને ખુબ જ સારી રીતે દેખાડવામાં આવશે એ કારણે વધુ ખુશી છે. પરી અને યોગીની લાઇફમાં સૂજોય ખુબ જ મહત્વનું પાત્ર બની રહેશે. કરણ એ કારણે પણ ઉત્સાહિત છે કે તે પહેલી જ વખત બંગાળી પાત્ર ભજવી રહ્યો છે.

 

(9:58 am IST)