Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

યે રિશ્તા કયા કહેલાતા હૈ... વધુ એક વખત આવશે પાંચ વર્ષનો લિપ

સતત દસ વર્ષથી ટીવી પર દર્શાવાઇ રહેલો શો યે રિશ્તા કયા કહેલાતા હૈ દર્શકોમાં લોકપ્રિય છે. આ શોમાં અનેક વખત ટ્વિસ્ટ આવી ચુકયા છે અને શોની કહાનીને ઘણીવાર જમ્પ કરાવી આગળ લઇ જવામાં આવી છે. ફરીથી એક વખત પાંચ વર્ષનો લિપ લાવવાની નિર્માતાએ તૈયારી કરી છે. આ લિપ આગામી દિવસોમાં ગમે ત્યારે આવશે. શોને નવો વળાંક આપવાની તૈયારી થઇ રહી છે. એક વખત ફરીથી નાયરા અને કાર્તિક અલગ થઇ જાય તેવી શકયતા છે. શોમાં અનેક વખત એવી સ્થિતિ સામે આવી છે જેમાં વારંવાર કાર્તિકને નાયરાને કારણે ઠેંસ પહોંચી છે. શોનો નવો પ્રોમો પણ સામે આવી ગયો છે. જ્યાં કાર્તિક નાયરાને લવયુ કહીને એમ પણ પુછે છે કે શું તે મિહિર સાથે એક રાત વિતાવી ચુકી છે? તુ બરાબર જ વીચારે છે, તેમ કહી નાયરા જતી રહે છે. આમ હવે પાંચ વર્ષના લિપ સાથે ફરીથી કાર્તિક-નાયરા અલગ થઇ જશે. નાયરાનો રોલ શિવાંગી જોષી અને કાર્તિકનો રોલ મોહસિન ખાન ભજવી રહ્યો છે.

(9:05 am IST)