Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ત્રીજા લગ્નની જાહેરાત આમિર 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ બાદ કરશે

ત્રીજી વખત લગ્ન કરશે આમિર ખાન ?

મુંબઇ,તા. ૨૨: આમિર ખાન ત્રીજી વખત લગ્ન કરવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે. તે પોતાની કો-સ્ટાર સાથે લગ્ન કરવાનો છે એ ચર્ચાએ વેગ પકડ્યો છે. આમિર અને કિરણ રાવે આ વર્ષે જુદાં પડવાની જાહેરાત કરી હતી. એ જાણીને સૌકોઈ ચોંકી ગયા હતા. કોઈને આ વાત માન્યામાં નહોતી આવી. આમિરે પહેલાં લગ્ન રીના દત્ત્।ા સાથે કર્યાં હતાં. તેનાથી તેને બે બાળકો જુનૈદ અને ઈરા છે. રીનાથી ડિવોર્સ લીધા બાદ આમિરે ૨૦૦૫માં કિરણ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને આઝાદ નામનો દીકરો છે. જુનૈદ અને ઈરા સાથે કિરણના સારા સંબંધો છે. ત્રીજાં લગ્નની જાહેરાત આમિર 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ બાદ કરશે એવું લાગી રહ્યું છે. જોકે ચર્ચા એ પણ છે કે આમિર સાથે 'દંગલ'માં જોવા મળેલી ફાતિમા સના શેખ સાથે તેના રિલેશન છે અને એને કારણે જ આમિરના ડિવોર્સ થયા છે. આમિર 'લાલ સિંહ ચઢ્ઢા'પર કોઈ માઠી અસર ન પડે એ માટે ફિલ્મની રિલીઝ બાદ જ સત્ત્।ાવાર જાહેરાત કરશે એ વાતે વેગ પકડ્યો છે.

(9:58 am IST)