Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કેરળના લોકોને મદદ માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યુ સનીલીઓનીએ ?

મુંબઇ તા ૨૨ : સની લીઓનીએ કેરળમાં પૂરગ્રસ્તોને મદદ કરવા માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્ગુ હોવાની ચર્ચા ચાલી રહી છે. કેરળમાં વરસાદ અને પૂરને કારણે ભારે તારજી સર્જાઇ છે. લગભગ ી લાખ લોકો ઘરબાર વિનાના થઇ ગયા છે અને રાહતછાવણીઓમાં રહે છે. પૂરને કારણે મૃત્યુ પામેલી વ્યકિતઓનો આંકડો પણ વધી રહ્યો છે. શાહરૂખ ખાત, હ્રતિક રોશન, અક્ષયકુમાર, જેકલિન ફર્નાડિસ, અનુષ્કા શર્મા, આલિયા ધટ્ટ, અમિતાભ બચ્ચન, વરુણ ધવન જેવા એકટર્સના લિસ્ટમાં હવે સનીલિઓનીનું નામ જોડાઇ ગયું છે. સનીના કેરળના ઘણા ચાહકો છે અને તે જયારે પણ ત્યાં જાય છે ત્યારે તેને જોવા માટે લોકોનાં ટોળેટોળા ઉમટી આવે છે. તેની પોપ્યુલરિટીનેપગલે હવે સનીએ પણ ચાંચ કરોડ રૂપિયા દાન કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સનીએતેના ટ્વિટર એકાઉન્ટ ,ર કેરળના મુખ્ય પ્રધાનની રાજયને મદદ કરવા માટેની અપીલને રીટ્વીટ કરી છે. આ વિશે સની લીઓનીના મેનેજરે કહ્યું હતું કે ' આ વિશે સની કોઇ વાત કરવા નથી માગતી અને તેણે કેટેલા રૂપિયા ઠોનેટ કર્યા છે એની પણ તે જાણ કરવા નથી માગતી. સનીનું માનવું છે કે આ તેના માટે પર્સનલ બમબત છે. અને કેરળના લોકો માટે પ્રાર્થના કરી રહી છે. (૩.૨)

(11:47 am IST)