Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રણબીર - આલિયાના લગ્ન ૨૦૨૦માં થશે?

મુંબઇ તા. ૨૧ : રણબીર કપુર અને આલીયા ભટ્ટે પ્રેમનો એકરાર કરી દીધો છે., પણ હવે બન્નેના લગ્નની રાહ જોવામાં આવી રહી છે..   અને એવુ લાગીર હ્યુ છે કે ૨૦૨૦માં તેમના મેરેજ થઇ જશે.

આલિયાએ થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે જલ્દી લગ્ન કરવા માગે છે. રણબીર કપૂરે પણ એક ચેટિંગખતે જલદી લગ્ન કરવાની વાત કરી છે.

આલીયા ભટ્ટ હાલમાં કરીઅરના અગત્યના પડાવ પર છે. અને તે રણબીરને ખુબ પ્રેમ કરે છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી સંબંધોને લઇને તેઓ ખાસ્સા ચર્ચામાં છે. તેમને સંબંધોને છુપાવ્યા નથી અને મીડીયા સામે આવતા પણ તેમને કોઇ સંકોચ નથી. રણબીર ની મમ્મી નીતુ કપૂર પણ આલિયાને ખૂબ પસંદ કરે છે. થોડા દિવસ પહેલા તે રણબીરની ફેમીલી સાથે ડિનર પર પણ ગઇ હતી. તેઓ બંન્ને હાલમાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે કામ કરી રહ્યા છે.

બાહુબલી જેવી નથી બ્રહ્માસ્ત્રઃ રણબીર

રણબીરકપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન અયાન મુખરજીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં કામ કરી રહ્યા છે. અને ૨૦૧૯માં ૧૫ ઓગષ્ટે આ ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બની રહી છે. અને પહેલો ભાગ હાલમાં તૈયાર થઇ રહ્યો છે. આ ફિલ્મ વીશે બોલતા રણબીર કપુરે કહ્યુ હતુ કે 'મારા મિત્ર અયાને આ ફિલ્મ સ્ક્રિપ્ટ લખવામાં પાંચ વર્ષનો સમય લીધો છે. આ એક નવા યુગની ફિલ્મ છે. એ સુપરનેચરલ ફિલ્મ છે. જેમા આધુનિક યુગની પુરી કથા છે. અને તેના તમામ પાત્રો સુપર નેચરલ પાવર ધરાવે છે. આ ફિલ્મમાં મુંબઇની વાર્તા છે. અને એ 'બાહુબલી''જેવી નથી.

(3:43 pm IST)