Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

વાહ...સ્ટ્રીટ ડોગ માટે અભિનેતા વરુણ શર્માએ ખરીધા સ્વેટર

મુંબઈ: બોલીવુડ અભિનેતા વરુણ શર્મા અભિનેતા હોવાની સાથે સાથે એક સારી વ્યક્તિ પણ છે. તે કૂતરાઓને બહુ પ્રેમ કરે છે, જે હાલ જોવા મળી રહ્યો છે. અત્યારે ઠંડીની સીઝન ચાલી રહી છે, ત્યારે ચંદીગઢમાં અભિનેતાએ રખડતા કૂતરાઓ માટે ખાસ સ્વેટર અને મોજા ખરીદ્યા છે. જેના કારણે તેમને ઠંડીથી રક્ષણ મળી શકે. વરુણે એક નિવેદનમાં જણાવ્યુ કે, પશુઓની વાત તો છોડો આપણે પણ ઠંડીને સહન કરી શક્તા નથી. તાપમાન ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય છે, જેના કારણે પશુઓ ઠંડીમાં ખરેખર પોતાને અસહજ અનુભવવા લાગે છે. મેં વિચાર્યુ કે ચલો આમના માટે કંઈક કરીએ. જેથી મેં કુતરાઓ માટે સ્વેટર અને મોજા ખરીદ્યા. આશા રાખુ છું કે, આનાથી તેમને ઠંડી સામે રક્ષણ મળી શકશે. મહત્વનું છે કે, ફિલ્મ છિછોરેના શુટિંગમાં વ્યસ્ત વરુણ શર્મા કેટલાક દિવસથી આરામ લઈને પરિવાર સાથે સમય વિતાવવા ચંદીગઢ પહોંચ્યો છે. નિતેશ તિવારી નિર્દેશત ફિલ્મ આગામી વર્ષે ૩૦ ઓગસ્ટે સિનેમાઘરોમાં રીલીઝ થશે. ફિલ્મમાં સુશાંતસિંહ રાજપુત અને શ્રદ્ધા કપુર મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

 

 

 

(5:13 pm IST)