Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'પાણીપત' ફ્લોર પર જતા પહેલા જ અટવાઈ

મુંબઈ: લગાન, સ્વદેશ, જોધા અકબર જેવી હિટ ફિલ્મોનુ ડાયરેક્શન કરી ચુકેલ ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરની ઐતિહાસિક ફિલ્મ પાણીપત ફ્લોર પર જતા પહેલા મુશ્કેલીમાં ફસાતી નજરે પડી રહી છે. ફિલ્મ માટે આશુતોષ ગોવારીકરે સિનિયર અભિનેતા સંજય દત્ત, અર્જુન કપુર અને કૃતિ સેનનને સાઈન કર્યા હતા અને કોસ્ચ્યુમ્સ વગેરેની તૈયારી આદરી દીધી હતી. પરંતુ બોલીવુડની એક વણલખી પરંપરા છે કે જેની છેલ્લી ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હોય તેને જલદી ફાયનાન્સ મળે નહીં. આશુતોષ ગોવારીકરને પણ કંઈક આવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ મોહેં જો દડો બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી જેના કારણે આર્થિક મુશ્કેલી સહેવાનો વારો આવ્યો હતો. સંજોગોમાં તેનો કેમેરામેન કીરણ દેવહંસ પોતાની ટીમ સાથે પ્રોજેક્ટ છોડી ગયો હતો એના સ્થાને એના જેવી ક્ષમતા ધરાવતો બીજો કેમેરામેન હાલ તુરંત મળે તેવી શક્યતા દેખાઈ રહી નથી. આવી પરિસ્થિતિમાં અત્યારે તો એવુ લાગી રહ્યુ છે કે પાણીપત ફ્લોર પર જવા પહેલા પડતી મુકવાની ફરજ આશુતોષને પડે તો નવાઈ નહીં. એણે પોતાના કલાકારોને વિશ્વાસમાં લઈ લીધા હતા, પરંતુ કિરણ દેવહંસ પોતાની ટીમ સાથે પાછો ફરે તે કદાચ વાત બને ખરી. 

(4:24 pm IST)