Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ધ કપિલ શર્મા શોમાં ટીચર વિદ્યાવર્તીનો અભિયન કરનાર કોમેડિયન સુગંધા મિશ્રાએ આ શોમાં જ જોવા મળતા ડો. સંકેત ભોંસલે સાથે સગાઇ કરી લીધી

ઝી મીડિયા/બ્યૂરો :ધ કપિલ શર્મા શોમાં ટીચર વિદ્યાવતીનો રોલ ભજવનાર કોમેડિયન સુગંધા મિશ્રા અને આ શોમાં જ જોવા મળતો ડો. સંકેત ભોંસલેએ સગાઈ કરી લીધી છે. આ શોમાં સંકેત ભોંસલેની કોમેડી પણ લાજવાબ છે. ડો. સંકેત ભોંસલે હંમેશો શોમાં સંજય દત્તની મિમીક્રી કરતા નજર આવ્યા હતા. તો સાથે જ સુગંધા સાથે સંકેતના અફેરની ચર્ચા લાંબા સમય સુધી ચાલી હતી. પરંતુ તેઓ ખૂલીને આ વિશે વાત કરતા ન હતા. પરંતુ હવે આ કપલે પોતાના પ્રેમને જાહેર કરી દીધો છે.

સુગંધા મિશ્રા અને ડો. સંકેત ભોંસલે એકબીજાને એક વર્ષથી ડેટ કરી રહ્યા હતા. જલ્દી જ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના વિવાદ બાદ સુગંધા મિશ્રાએ ધ કપિલ શર્મા શોને અવલિદા કહ્યું હતું. તેના બાદ પણ અનેકવાર બંને સાથે કરતા દેખાતા હતા.

અભિનેતા સંજય દત્ત અને સલમાન ખાનની કોમેડી કરવામાં સંકેત ભોંસલે માહેર છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા કહ્યું કે, તેમને પોતાની સનશાઈન મળી ગઈ છે. તો બીજી તરફ સુગંધા મિશ્રાએ પણ પોતાની તસવીર પર લખ્યું,‘Forever’

(5:32 pm IST)