Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

આશુતોષ રાણાએ આપ્યું બયાન: તે ક્યારે પૈસા કમાવવા માટે ફિલ્મોમાં નથી કર્યું કામ

મુંબઇ:  પોતાના આગવા અભિનય અને બોલકી આંખો દ્વારા પાત્રને જીવી જતા અભિનેતા આશુતોષ રાણાએ કહ્યંુ હતું કે હું પૈસા કમાવા માટે ફિલ્મોમાં આવ્યો નથી. મેં કદી આર્થિક સંકડામણ અનુભવી નથી.'મને નાનપણથી કલા પ્રત્યે એક પ્રકારનો લગાવ રહ્યો છે એટલે હું ફિલ્મોમાં આવ્યો છું. પૈસા મારા માટે ગૌણ ચીજ છે. મને કદી પૈસાની તકલીફ નહોતી એટલે પૈસા કમાવા ફિલ્મોમાં આવ્યો નથી. મને પૂરતા પૈસા મળે છે અને અમે આરામદાયક જિંદગી જીવી રહ્યાં છીએ. દરેક વ્યક્તિની પાયાની જરૃરિયાતો સંતોષાઇ જતી હોય છે પરંતુ દરેક વ્યક્તિ પોતાનાં સપનાં સાકાર કરી શકતી નથી. હું કલા પ્રત્યેના લગાવ અને વિવિધ પાત્રો દ્વારા સપનાં સાકાર કરવા ફિલ્મોમાં આવ્યો છું અને મને હજુ સુધી તો સફળતા મળતી રહી છે' એમ આશુતોષ રાણાએ કહ્યું હતું.એણે ઔર એક સરસ વાત કરી હતી. એણે કહ્યું કે દરેક સફળ માણસ સુખી હોતો નથી પરંતુ દરેક સુખી માણસ સફળ હોઇ શકે છે. હું સુખી પણ છું અને સફળ પણ થયો છું. એને હું મારું સદ્ભાગ્ય ગણું છું.૨૦૧૮માં કરણ જોહરની ધડક અને સિમ્બા ઉપરાંત અનુભવ સિંહાની મુલ્ક ફિલ્મમાં દેખાયેલા આશુતોષે કહ્યું કે હું એકના એક રોલ રિપિટ ન થાય એ બાબત સદા સજાગ રહ્યો છું. દર્શકોને વૈવિધ્ય આપવાના મારા પ્રયાસો હોય છે.

(6:43 pm IST)