Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

બિહારના ગણિતશાસ્ત્રી ડો. વસિષ્ઠ નારાયણ સિંઘ પર ફિલ્મની વિવાદમાં

મુંબઇ: નેશનલ એવોર્ડ વિજેતા પ્રકાશ ઝાએ પખવાટિયા અગાઉ બિહારના ગણિતશાસ્ત્રી ડો. વસિષ્ઠ નારાયણ સિંઘ પર ફિલ્મ બનાવવાનો ઇરાદો જાહેર કર્યો હતો.

 

બાપોળકરનું નિર્માણ વિનય અને પ્રિતિ સિન્હા કરવાના હતા. બાબતે એક રસપ્રદ વળાંક લીધો છે. ગણિતશાસ્ત્રીના ભાઇએ કોઇ ત્રીજા પક્ષને બાબતે હકો આપવાની બાબત નકારી કાઢી છે.
એના ભાઇએ નિવેદન દ્વારા કહ્યું કે 'હું અયોધ્યા પ્રતાપ સિંઘ સ્પષ્ટતા કરુ છું કે વસિષ્ઠ નારાયણની માનસિક હાલત સારી નથી  અને કાયદા પ્રમાણે આવી વ્યક્તિ સાથે એની માલ-મિલકત સંબંધી સોદો માત્ર લીગલ મેનેજર કરી શકે અને કાનૂની ધોરણે કોઇ લીગલ મેનેજરની નિમણૂક થઇ નથી.જોકે, સિન્હા કંપતીએ કહ્યું હતું કે ૨૪મી એપ્રિલ ૨૦૧૫ના રોજ થયેલા કરારને અનુસરી તેઓ યોજનામાં આગળ વધશે.

(3:54 pm IST)