Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોમેડી એ ઇશ્વરની ભેટ છેઃ આસિફ શેખ

ટીવી અને ફિલ્મી પરદાનો જાણીતો અભિનેતા આસિફ શેખ હાલમાં ટીવી શો ભાભીજી ઘર પર હૈમાં વિભૂતિનું પાત્ર ભજવી ઘર-ઘરમાં લોકપ્રિય થયો છે. તેણે કોમેડી વિશે વાતો કરતાં કહ્યું હતં કે કોમેડી એ ભગવાનની ભેટ છ ે. જો સહજ રીતે કોમેડીને રજૂ કરવામાં ન આવે તો એ ત્રાસરૂપ બની રહે છે. એન્ડ ટીવી પરના શો ભાભીજી ઘર પર હૈના તમામ પાત્રો દર્શકોને ભરપુર હસાવે છે.આ શોની કોમેડી દર્શકોને ખુબ ગમે છે, આ કારણે જ આ શો સતત પાંચ વર્ષથી અવિરત ચાલી રહ્યો છે. આસિફે કહ્યું હતું કે કોમેડી સહજ રીતે અંદરથી બહાર આવવી જોઇએ, મારી સાથે આવુ જ થાય છે. એ ઇશ્વરની ભેટ છે. મારે આ માટે કોઇ ખાસ તૈયારીઓ કરવી પડતી નથી. મારી મારી જાતને દબાણ કરવું પડતું નથી. મને લાગે છે કે કોમેડી એ સોૈથી ખાસ જોનર છે, જો કે એ દેખાય છે એટલુ સરળ નથી. બહુ અઘરૂ કામ છે.

(9:59 am IST)