Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

માલદિવ્સ જવાની નુસરતની ઇચ્છા

બીજા સ્ટારની જેમ અભિનેત્રી નુસરત ભરૂચા પણ લોકડાઉનનો સમય ઘરમાં પરિવાર સાથે વિતાવી રહી છે. જો કે તે ઘરમાં રહીને ફિલ્મોના સેટ અને શુટીંગ લોકેશનને ખુબ યાદ કરી રહી છે. લોકડાઉન ખતમ થયા પછી તે શું કરવા ઇચ્છે છે? તેની ચર્ચા તેણે કરી હતી. નુસરતે કહ્યું હતું કે તે લોકડાઉન પુરા થતાં જ તેની સહેલીઓને મળશે. એ પછી તે હોલીડે પર જવાની ઇચ્છા ધરાવે છે. માલદિવ્સ તેની પસંદગીની જગ્યા છે તે ત્યાં જવા ઇચ્છે છે. તે કહે છે ત્યાંની તાજગી હમેંશા મારા મગજમાં રહે છે આથી હું ત્યાં વારંવાર જવા ઇચ્છુ છું. જો કે તેણે કહ્યું હતું કે ભલે લોકડાઉન ખુલે પરંતુ પોતે થોડા દિવસ સોશિયલ ડિસ્ટન્સનું ગંભીરતાથી પાલન કરશે. જો રેસ્ટોરન્ટ ચાલુ થશે તો પોતે સોૈથી પહેલા મૈસુર ઢોસા ખાવાનું પસંદ કરશે. લોકડાઉનમાં કયુ ગીત વધુ ગમશે? તેવું પુછાતાં તેણે રાજેશ ખન્નાનું યે કયા હુઆ, કબ હુઆ...ને યાદ કર્યુ હતું.

(9:58 am IST)