Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

નેગેટિવ રોલ ખુબ ગમે છે અથરને

અભિનેત્રી પૂજા ગોૈરને ઘર ઘરમાં ઓળખ અપાવનાર ટીવી શો મન કી આવાજ-પ્રતિજ્ઞાનો હવે બીજો ભાગ આવી રહ્યો છે. આ કારણે પૂજા અત્યંત ખુશ છે. પૂજા છેલ્લે વેબ સિરીઝ શ્રીકાંત બસીરમાં ખુબ મહત્વના રોલમાં જોવા મળી હતી. શોમાં પૂજા સાથે અરહાન બહલની જોડી અગાઉના શો મુજબ યથાવત રાખવામાં આવી હતી છે. અનુપમ શ્યામ પણ સજ્જનસિંહના રોલમાં દેખાશે. નવા કલાકારોમાં બ્રહ્મરાક્ષસ-૨ ફેઇમ ચેતન હંસરાજ અને હેલો પ્રતિભા ફેઇમ સચલ ત્યાગી પણ છે. તો અથર સિદ્દીકીનું નામ પણ સામેલ થઇ ગયું છે. અથર આ શોમાં નેગેટિવ ભુમિકા નિભાવી રહ્યો છે. તેણે અગાઉ તેનાલી રામા, પરમાવતાર શ્રીકૃષ્ણ, વિઘ્નહર્તા ગણેશ સહિતના શો કર્યા છે. પ્રતિજ્ઞા-૨માં તે ચેતન હંસરાજના ભાઇનો રોલ નિભાવશે. અથરના કહેવા મુજબ તેનું આ પાત્ર સાઇકો છે. તે પોતાના આનંદ માટે કોઇની હત્યા કરતાં પણ અટકતો નથી. મને આવા રોલ ખુબ ગમે છે.

(10:17 am IST)