Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

સોની સબ પર ''ઝિદ્દી દિલ-માને ના''માં અભયનાં કરતૂતનો થશે પર્દાફાશ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા. ૧૦ : સોની સબ પર યુવાઓને સ્પર્શતો શો ઝિદ્દી દિલ માને ના કોયલ (સિંપલ કૌલ)ના નજરિયાથી ઘરેલુ હિંસા સામે મજબૂત અવાજ ઉઠાવતી તેની વર્તમાન વાર્તારેખા માટે દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ અને સરાહના મેળવી રહ્યો છે. આગામી એપિસોડમાં દર્શકો જકડાઈ રહેશે, કારણ કે પરાક્રમ એસએએફના કેડેટ્સ કોયલને બચાવવા અને નિખિલ (નિર્ભય ઠાકુર) અને અભય (કરણ વીર મહેરા) સાથે દેશ છોડીને જવાથી રોકવા માટે યોજના ઘડે છે.

અભયની ભૂમિકા ભજવતો કરણ વીર મહેરા કહે છે, અભય ભ્રમની દુનિયામાં જીવે છે જ્યાં તે ખુશ છે અને કોયલ અને પરાક્રમ એસએએફના કેડેટ્સ સામે જંગ જીત્યો છે એવુંવ ચારે છે. તેને લાદે છે કે કોયલ અને નિખિલને યુકેમાં લઈ જવામાં તે સફળ થશે અને તેની યોજના સફળ થશે. જોકે પરાક્રમ એસએએફના કેડેટ્સ બહુ ઝિદ્દી છે અને કોયલ અને નિખિલને તેના જેવા લોકોથી બચાવવા માટે તેઓ કોઈ કસર બાકી રાખશે નહીં તે જાણતો નથી. દર્શકોને કોયલ આ સમયે પોતાનો અવાજ કઈ રીતે ઉઠાવે છે અને અભયની સચ્ચાઈ કઈ રીતે ખુલ્લી પાડે છે તે જોવા મળશે.

(2:52 pm IST)