Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

હવે બીજા માધ્યમમાં પણ નજર કરવી છેઃ આદિત્ય બાજપેઇ

ટીવી શો વિઘ્નહર્તા ગણેશ ચાર વર્ષથી ચાલી રહ્યો હતો. અભિનેતા આદિત્ય બાજપેઇ પણ આ શો સાથે જોડાયો તેના એક મહિનામાં જ તેને જાણ થઇ હતી કે આ શો બંધ થવાનો છે, ત્યારે તે અવાચક થઇ ગયો હતો. તેમાં તેને વરૂણદેવનો રોલ મળ્યો હતો. પણ શો ખતમ કરી દેવામાં આવતાં તે દુઃખી થયો હતો. હવે તે તાજેતરમાં નવા શો બાલ શિવમાં સામેલ થયો છે. આદિત્ય ટીવી શો ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ પર પણ કામ કરી રહ્યો છે. તે કહે છે ટીવી પરદે ચારેક વર્ષ મેં કામ કર્યુ છે, આથી હવે બીજા માધ્યમ તરફ પણ નજર દોડાવવી જોઇએ તેવું મને લાગે છે. મને હમણા જ ખબર પડી હતી કે મારા માતા-પિતા પણ અભિનેતા બનવા મુંબઇ આવવા ઇચ્છતા હતાં. પણ તેમની ઇચ્છા પુરી થઇ નહોતી. અજાણતા તેમની આ ઇચ્છા મેં પુરી કરી છે. જો કે આદિત્યના પિતા હાલમાં હયાત નથી. આદિત્ય છત્તીસગઢનો વતની છે. સબ ટીવીના કાંટેલાલ એન્ડ સન્સમાં પણ તેણે કામ કર્યુ છે.

(9:52 am IST)