Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

વધુ એકવાર નેગેટિવ રોલમાં મનિષ ખન્ના

અભિનેતા મનિષ ખન્નાને વધુ એક વખત નેગેટિવ રોલ મળ્યો છે. અગાઉ ઇશ્ક સુભાન અલ્લાહમાં નેગેટિવ પાત્ર ભજવી ચુકેલા મનિષને ઝી ટીવીના શો કુમકુમ ભાગ્યમાં ફરી આવો રોલ મળ્યો છે. આ શોના નવા એપિસોડ તેરમી જુલાઇથી શરૂ થવાના છે. ત્રણેક મહિના શુટીંગ અટકી ગયા પછી હવે નિર્માતાઓ અનલોકના સમયમાં મનોરંજન અટકે નહિ એ માટે સિરીયલોને આગળ વધારવા ચોંકાવનારા ટર્ન અને ટ્વિસ્ટ લાવી રહ્યા છે. શબ્બીર અહલુવાલીયા (અભિ) અને શ્રુતિ ઝા (પ્રજ્ઞા)નો શો કુમકુમ ભાગ્ય પણ નવા વળાંકો સાથે જોવા મળશે. આ શોમાં મનિષ ખન્ના નકારાત્મક પાત્રમાં દેખાશે. તેણે અગાઉ નાગિન અને કયામત કી રાત સહિતના શો કર્યા છે. કુમકુમ ભાગ્યમાં તે માયાના અંકલ દુષ્યંતસિંહ ચોૈબેના રોલમાં આવી રહ્યો છે. આ પાત્ર અભિ અને પ્રજ્ઞાની લવસ્ટોરીમાં પણ ટ્વિસ્ટ લાવશે. મનિષ કહે છે તેનું આ પાત્ર શોના ટ્રેક મુજબ અત્યંત મહત્વનું છે.

(10:11 am IST)