Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

મહિલા ચાહકે તમામ સંપત્તિનો વારસદાર બનાવ્યો સંજજુ બાબાને

મુંબઈ:મહિલા ચાહકે પોતાના મૃત્યુ બાદ વસિયત સંજય દત્તના નામે કરી. પોતાના બેન્ક એકાઉન્ટ, લોકર સંજયના નામે કર્યા. અભિનેતા સંજય દત્તે બેન્ક ઓફ વડોદરાની વાલકેશ્વરને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે માલાબાર હિલ નિવાસી નિશી હરિશ્ચંદ્ર ત્રિપાઠી દ્વારા તેમના નામે કરવામાં આવેલા બેન્ક એકાઉન્ટ અને બેન્ક લૉકરને નિશીના પરિવારજનોને સોંપવાનું કહેવામાં આવ્યુ છે. નિશીએ પોતાના મોત પહેલા વસિયતમાં પોતાના એકાઉન્ટના દરેક રૂપિયા અને બેન્ક લૉકર પણ સંજય દત્તના નામે કર્યા હતા. સંજય દત્તના નામે દરેક સંપત્તિ કરવામાં આવી છે તેની જાણ તેમને પોલીસનો ફોન આવ્યો ત્યારે થઈ. 29 જાન્યુઆરીએ પોલીસે સંજય દત્તને ફોન કરીને જણાવ્યુ હતુ. પોલીસનું કહેવુ છે કે 62 વર્ષીય ત્રિપાઠી સંજય દત્તની મોટી ફેન હતી. આ વાત જાણીને તેના ઘરના લોકો પણ દંગ રહી ગયા, જ્યારે તેમને જાણ થઈ કે નિશીએ પોતાનું એકાઉન્ટ અને લૉકર અભિનેતાના નામ કરી દીધુ છે. કાયદાકીય પ્રક્રિયાના કારણે અત્યારસુધી બેન્ક લૉકર પણ ખોલવામાં આવ્યુ નથી. ત્યારે સંજય દત્ત તરફથી સ્પષ્ટ કરી દેવાયુ છે કે તેમને નિશીના એકાઉન્ટ, સંપત્તિ અથવા લોકરમાંથી કંઈ પણ જોઈએ નહીં અને આ બધુ તેમના પરિવારને સોંપી દેવુ જોઈએ.

(5:11 pm IST)