Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સલીમ - અનારકલી પર આધારિત આ શો થશે હવે બંધ

મુંબઈ:કલર્સનો શો દાસ્તાન--મોહબ્બત સલીમ અનારકલી જલ્દીથી બંધ થવાની આરે છે. શોને શરૂ થયે હજી ત્રણ મહિનાનો સમય થયો છે કે મેકર્સે સિરીયલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સિરીયલને યોગ્ય ટીઆરપી ના મળવાના કારણે મેકર્સે નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે, સિરીયલના છેલ્લા એપિસોડનું શુટિંગ શુક્રવારે થવાનું છે.સ્પૉટબોયના અહેવાલના મતે, જ્યારે શોના પ્રોડ્યૂસર અનિરૂદ્ધ પાઠક સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, હું કલર્સના નિર્ણયનું સમ્માન કરું છું. પરંતુ અચાનક શોનું બંધ થવું દુ:ખદ વાત છે. અમે પ્લાન કરી રહ્યા છીએ કે સિરીયલની કહાનીને તેજ કાસ્ટ એન્ડ ક્રૂની સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર લઇ જવામાં આવશે. તેમણે કહ્યું કે, ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ શોની સ્ટોરી લાઇનમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. સિરીયલના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં શાહીર શેખ અને સોનારિકા ભદૌરિયા મુખ્ય રોલમાં હતા. શાહીર સલીમની અને સોનારિકા અનારકલીની ભૂમિકા નિભાવી રહી છે.રિપોર્ટના મતે, દાસ્તાન--મોહબ્બતના સ્થાને હવેગઠબંધનચાલું કરવામાં આવશે. શોમાં એક ગુજરાતી આઈપીએસ ઓફિસર અને મુંબઇના ડોનની વચ્ચે પ્રેમની કહાની દેખાડવામાં આવશે. સિરીયલ જલ્દીથી શરૂ કરવામાં આવશે. સિરીયલના પ્રોમો જાહેર કરી દેવામાં આવ્યા છે. હાલમાં કલર્સનો રિયાલિટી શો બિગ-બોસમાં તેનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. સલમાનને શોના લીડ સ્ટાર કાસ્ટની સાથે શો વિશે અમને જાણકારી આપી છે.તમને જણાવી દઇએ કે, અગાઉ દાસ્તાન--મોહબ્બત સલીમ અનારકલીનો ટાઇમ ચેન્જ થવાના અહેવાલ સામે આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, સિરીયલ રાત્રે 11.30 વાગે પ્રસારિત કરવામાં આવશે.

(7:24 pm IST)