Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

મારા લગ્ન તૂટવાનું કારણ કનિકા નથી: દિયા મિર્જા

મુંબઈ: દિયા મિર્જા પતિ સાહિલ સાંઘા સાથે અલગ થઇ ગઇ હવાની જાહેરાત તેને થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. આ લગ્ન તૂટવા પાછળ ચર્ચામાં છે કે લેખિકા કણિકા ઢીલાન સાહિલ સાથે સંબંધ છે પણ દિયા એ કહ્યું કે મારા લગ્ન તૂટવા પાછળ કનિકાનો કોઈ વાંક નથી. આ અંગે દિયાએ શુક્રવારે ટિ્‌વટ કર્યું હતું કે, “સાહિલથી મારા જુદા થવાના મામલે મીડિયાના કેટલાક વર્ગ દ્વારા ઉઠાવવામાં આવતા સવાલ અને ચર્ચાને અટકાવવી અને સ્પષ્ટ કરવી જરૂરી છે. આવી બેદરકારીભર્યા કૃત્યો જોવી દુર્ભાગ્યપૂર્ણ છે. આપણા સાથીદારો અને સાથીઓને મીડિયા દ્વારા પીગળવામાં આવી રહ્યું છે, તેમની બદનામી થઈ રહી છે તેનાથી વધુ મહત્વાકાંક્ષી બીજું શું હશે? એક સ્ત્રી હોવાને કારણે હું જુઠ્ઠાણાને પ્રસારિત કરીને બીજી મહિલાનું નામ નથી લઈ શકતી. "

(5:43 pm IST)