Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

આત્મકથા લખશે ઋત્વિક રોશન

મુંબઇ: અભિનેતા રિતિક રોશન ટૂંક સમયમાં પોતાની આત્મકથા લખવાની ઇચ્છા ધરાવે છે એવી જાણકારી મળી હતી. અત્યાર અગાઉ કેટલાક કલાકારો પોતપોતાની આત્મકથા પ્રગટ કરી ચૂક્યા છે. હવે એમાં એકનો વધારો થશે. રોશન પરિવારના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આજની પેઢીના ટીનેજર્સ માટે પ્રેરણારૃપ બની રહે એવી વાતો પુસ્તકમાં હશે. એમાં સ્કેન્ડલ કે વિવાદોની વાત નહીં હોય એટલે કંગના રનૌતે ડરવાની જરાય જરૃર નથી. પ્રવક્તાએે કહ્યું કે સાવ કૂમળી વયથી રિતિકે ઘણી લીલી સૂકી જોઇ છે. બાળપણમાં તોતડાતો હતો. એમાંથી પ્રયત્નપૂર્વક બહાર આવ્યા બાદ શી રીતે વર્ક આઉટ કરીને સશક્ત કાયા ધરાવતો થયો, શી રીતે ટોચનો ડાન્સર કલાકાર બન્યો, શી રીતે ટોચનેા અભિનેતા બન્યો વગેરે વાતો પુસ્તકમાં આવરી લેવાની યોજના છે. એને સ્ટંટ સીન્સ કરતાં થયેલા અકસ્માતો, મગજમાં થયેલી ગંભીર ઇજા અને એનું ઓપરેશન વગેરે બાબતો પણ પ્રેરક રીતે આવરી લેવાની કલાકારની યોજના છે. આમ પોતાના સંઘર્ષોની વાત કરશે, સ્કેન્ડલ્સ કે ડાઇવોર્સની વાતો એમાં નહી હોય એમ પ્રવક્તાએ કરેલી સ્પષ્ટતામાં જણાવ્યું હતું.

(4:37 pm IST)