Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

અમરેલીના ભૂતપુર્વ સાંસદ નવીનચંદ્ર રવાણીનો જન્મદિન

સુપ્રસિધ્ધ સ્વાંત્ર્ય સેનાની અને સમાજ સેવકનો ૯૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ અમરેલીના કોંગ્રેસના ભુતપુર્વ સંસદસભ્ય શ્રી નવીનચંદ્ર રવાણીનો જન્મ ૧૯૩૦ના વર્ષની ર એપ્રિલે થયેલ. આજે યશસ્વી જીવનના ૯૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સાવરકુંડલા નગર પાલિકાના પ્રમુખ ઉપરાંત બે વખત (૧૯૮૦ થી ૧૯૮૯) સંસદસભ્ય તરીકે રહયા હતા. રાજય સરકારમાં આયોજન અને આવાસ વિભાગના નાયબ મંત્રી તરીકે રહી ચુકયા છે. આઝાદીની લડતમાં પણ તેમનું યોગદાન છે. જાહેર જીવનમાં મુલ્યોના માનવી તરીકે જાણીતા છે. મો.૯૮૭૯૬ ૧૧૭૮૮. અમદાવાદ.

(3:31 pm IST)