Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પોરબંદર ખાદી ગ્રામોદ્યોગ ભવનના મંત્રી મુકેશભાઇ દતાનો જન્‍મદિન

પોરબંદર, તા. ૯ : ખાદી ગ્રામદ્યોગ ભવનના મંત્રીશ્રી મુકેશભાઇ દતાનો આજે જન્‍મદિવસ છે. તેમના જન્‍મ દિવસે શીશુકુંજ તથા પ્રાગજીબાપા આશ્રમ ખાતે ફુટ વિતરણ કરવામાં આવ્‍યું હતું. ખાદી ભવનના મેનેજરશ્રી રમેશભાઇ વિઠલાણી તથા શૈલેષ જોષી, જિતેશ વિઠલાણી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં. મુકેશભાઇએ ખાદી ભવનના વિકાસમાં અનેરૂ યોગદાન આપેલ છે તથા ખાદી ભવનના નવા રંગરૂપમાં સજાવવા તથા મ.ગો. ભુટતા લાયબ્રેરીનો પણ અવલ્લ નંબર તેમાના માર્ગદર્શનમાં મળેલ છે.

તેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખપદે તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડીરેકટર પદે રહી ચૂકયા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્‍થર તરીકે પણ કાર્ય કરેલ છે. જન્‍મ દિવસ દરમ્‍યાન તેઓ રકતદાન કરી ઉજવે છે. અત્‍યાર સુધીમાં ૭૦ વખત રકતદાન કરી ચૂકયા છે. મિત્રો શુભેચ્‍છકો જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

 

 

(10:17 am IST)