Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

એડવોકેટ ભાર્ગવ પંડયાનો આજે જન્મદિનઃ ૩૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : એડવોકેટ શ્રી ભાર્ગવ જે. પંડયાનો આવતીકાલે તા. ર ના જન્મદિન છે. તેઓ જીવનના ૩૮ વર્ષ પુર્ણ ૩૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા ૧ર વર્ષથી રેવન્યુ, સીવીલ તથા ક્રિમીનલ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે. તેમની વકિલતાની શરૂઆત એડવોકેટ અપુર્વભાઇ માણેક સાથે કરી રેવન્યુ તથા સીવીલ ક્ષેત્રે સારી એવી નામના મેળવયા બાદ હાલમાં છેલ્લા ૭  વર્ષથી એડવોકેટ અલ્પેશભાઇ વી. પોકીયા સાથે ક્રિમીનલ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે અને ક્રિમીનલ ક્ષેત્રમાં પણ ટૂંકા ગાળામાં સારી એવી નામના મેળવેલ છે. તેમજ રાજકોટ નાગરીક સહકારી બેંક લી.માં છેલ્લા ૯ વર્ષથી તથા રાજકોટ ડીસ્ટ્રીકટ  કો. ઓપ. બેંક લી. માં છેલ્લા ૮ વર્ષથી પેનલ એડવોકેટ તરીકે ફરજ બજાવે છે. વર્ષ ર૦૧૯ માં તાલુકા લીગલ સેવા સમિતિ રાજકોટમાં પણ લીગલ પેનલ એડવોકેટ તરીકે તથા હર્ષવર્ધન ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી.માં પણ લીગલ એડવોકેટ  તરીકે નિમણુંક થયેલ છે. તેમના જન્મ દિવસે તેમના માતા-પિતા, પત્ની, પુત્રી ઋત્વી, રિધ્ધી, પુત્ર કૌશલ તથા પંડયા પરિવાર દ્વારા તથા અલ્પેશભાઇ વી. પોકીયા (એડવોકેટ), વંદનાબેન એચ. રાજયગુરૂ (એડવોકેટ) તથા પી. એન્ડ લો ચેમ્બર્સ ઓફીસ  સ્ટાફ તથા વકીલ મિત્રો, સગા-સબંધી, સ્નેહીજનો તથા મિત્રવર્તુળો દ્વારા મો.૯૪ર૭પ ૬ર૭૬૯ ઉપર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે.

(3:33 pm IST)