Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

સચિવ એમ. થેન્નારાશનનો સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ

રાજકોટ : ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક રાજયના સચિવ શ્રી એમ.થેન્નારાશનનો જન્મ તા. રપ જુલાઇ ૧૯૭૧ ના દિવસે થયેલ આજે યશસ્વી જીવનના પચાસમાં વર્ષમાં દ્વારે પહોંચ્યા છે.

શ્રી એમ.થેન્નારાશન મૂળ તામીલનાડુના વતની અને ર૦૦૦ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. અગાઉ વ્યારામાં મદદનિશ કલેકટર, વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા અને કચ્છમાં કલેકટર, રાજયમાં ખાણ ખનિજ કમિશનર, મહિલા અને બાળ કલ્યાણ કમિશનર, સુરતમાં મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. બેસ્ટ ડી.ડી.ઓ. અને બેસ્ટ કલેકટરના એવોર્ડ વિજેતા અધિકારી છે. હાલ તેમને સુરતમાં કોરોનાલક્ષી કામગીરી માટે ખાસ જવાબદારી સોપાયેલ છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦પ૮૩  મો.૯૯૭૮૪ ૦૭૦૩૩ ગાંધીનગર

(11:36 am IST)