Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

નિકાવાવાળા જયંતિલાલ મહેતાનો આજે જન્મદિનઃ ૭૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ નિકાવા  સેવા સ.મ.લી.ના ભુતપૂર્વ મંત્રી શ્રી નિકાવા  ગ્રાહક સં. ભંડારલી.ના ભુતપૂર્વ મેનેજર, શ્રી સૌરાષ્ટ્ર વિહાર-ભુમિ ભકિત  સમિતિ રાજકોટના ભુતપૂર્વ મેનેજર શ્રી નેમીનાથ વિતરાગ સ્થા. જૈન સંઘના ભુતપૂર્વ પ્રમુખ, શ્રી સત્યનારાયણ પાર્ક એસોસીએશનના ખજાનચી તથા ગોંડલ સંપ્રદાયના ક્રાંતિકારી સંતશ્રી પારસમુનિ મ.સા.ના સંસારી પિતાશ્રી જે.બી. મહેતા (નિકાવા વાળા) તેમના જીવનના ૭૭ વર્ષ પુરા કરી આજરોજ ૭૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેમને સત્યનારાયણ પાર્કના પ્રમુખ ઝાલાબાપુ, પારેખભાઇ, વિતરાગ સ્થા. જૈન સંઘની પ્રમુખ ભરતભાઇ દોશી તથા કમીટી મેમ્બરો તેમજ સૌભાગ્ય ચંદભાઇ મહેતા, જગદીશભાઇ, નવીનભાઇ, બીપીનભાઇ, રાવલભાઇ, નાગોદ્રાભાઇ, નાગ્રેચાભાઇ, દિલીપભાઇ દોશી, રમેશભાઇ મીઠાણી, દિલીપભાઇ વોરા, ચોકસી સાહેબ, શાહભાઇ, નયનભાઇ, અરૂણભાઇ, ડો.ભીમાણી સાહેબ, રાજુભાઇ શેઠ, વગેરેઓએ શુભેચ્છા પાઠવેલ તથા આજરોજ તેમના ધર્મપત્નિ અને ક્રાંતિકારી સંતશ્રી  પારસમુનિ મ.સા.ના સંસારી માતુશ્રી ઇન્દુબહેનની ૨૭મી માસીક પુણ્યતિથિ પણ છે. (મો.૬૩૫૫૦ ૭૭૪૧૮, ૯૦૮૧૨૫૧૭૧૫)

(1:09 pm IST)