Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વોકહાર્ટ હોસ્પિટલ મીડિયા એન્ડ પી.આર કન્સલ્ટન્ટ મનહરભાઈ મજીઠીયાનો જન્મદિવસ

રાજકોટઃ શહેરની વિવિધ સામાજીક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા એડવોકેટ અને ગુજરાત બાર કાઉન્સીલના સભ્ય મનહરભાઈ મજીઠીયા આજે ૭૯માં વર્ષમાં (જન્મ તા.૨૨/૮/૧૯૪૧) પ્રવેશ કરેલ છે. સૌરાષ્ટ્ર- કચ્છની  સંસ્થા કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના માનદ્ મંત્રી તરીકે સેવા આપી રહેલ શ્રી મજીઠીયા રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશનના સ્થાપક સભ્ય છે. બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના તેઓ સ્વયંસેવક છે. તેઓ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત રાજકોટ શાખાના માર્ગદર્શક તરીકે કાર્યરત છે તેમજ સૌરાષ્ટ્ર કચ્છની મલ્ટી સ્પેશ્યાલીટી સુવિધા ધરાવતી રાજકોટની એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પીટલના મીડિયા એન્ડ પી.આર. કન્સલ્ટન્ટ તરીકે છેલ્લા ૧૨ વર્ષથી સેવા આપી રહેલ છે. તેઓ કેએસપીસીના હાઉસ જર્નલ ''ઉત્પાદકતા''ના છેલ્લા ૪૪ વર્ષથી માનદ તંત્રી છે. શ્રી મજીઠીયા શ્રી વાવડી દેવસ્થાન પરિવાર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે.

શ્રી મજીઠીયાએ ગુજરાત લેબર વેલ્ફેર બોર્ડના ચેરમેન તરીકે વર્ષ ૨૦૦૮થી ૨૦૧૧ સુધી સેવા આપેલ છે. શ્રી મજીઠીયા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા રચાયેલ ટ્રીપલ આઈસી કમીટીના સભ્યપદે પણ સેવા આપી રહેલ છે. તેઓ શ્રી વેસ્ટર્ન રેલ્વેની ડી.આર. યુ.સી.સી. કમિટિના સભ્યપદે, રાજકોટ શહેર પોલીસ સલાહકાર સમિતિના સભ્ય તરીકે ગુજરાત સરકાર સંચાલિત જીલ્લા પુસ્તકાલય- રાજકોટ, લેંગ લાઈબ્રેરી- રાજકોટ, આઈ.ટી.આઈ.- રાજકોટ વિગેરેની સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા આપી ચૂકેલ છે. શ્રી મનહરભાઈ મજીઠીયા રાજકોટ નાગરીક સહકારી બેન્કમાં પબ્લીક રીલેશન્સ એકઝીકયુટીવ તરીકે બેન્કના વિવિધ વિભાગો અને શાખાઓમાં ૩૭ વર્ષ સુધી  સેવા બજાવી નિવૃત થયેલ છે.

રામાયણ પાઠાશાળાના પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ મજીઠીયા (અતુલ ચાવાળા) તથા મજીઠીયા પરિવારના તમામ પરિવારજનો, વાવડી દેવસ્થાન પરિવાર સર્વેશ્રી ટ્રસ્ટના પ્રમુખ જયુભાઈ ઈગલવાળા તેમજ કે.એસ.પી.સી.ના પ્રમુખ હસુભાઈ દવે, ઉપપ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ડી.જી.પંચમીયા, કોષાધ્યક્ષ રામભાઈ એચ.બરછા, ટ્રેનીંગ પ્રોગ્રામ કમિટીના ચેરમેન તથા કો- ચેરમેન  દિપકભાઈ સચદે તથા  બી.એસ.માન તેમજ  હિરાભાઈ માણેક,  વસંતભાઈ ખોખાણી, રાજકોટ નાગરીક સહકારી બેંક લી.ના ચેરમેન નલીનભાઈ વસા, વાઈસ ચેરમેન  જીવણભાઈ પટેલ, પૂર્વ ચેરમેન  જયોતિન્દ્રભાઈ મહેતા, કલ્પકભાઈ મણીઆર, સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ  નરેન્દ્રભાઈ દવે,  કેતનભાઈ સોજીત્રા, સુમનભાઈ કારીયા તેમજ વકિલ મિત્રોએ અને વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ ડો.જગદીશ ખોયાણી, હોસ્પિટલના ડોકટરો બી.જે.પટેલ, કાન્ત જોગાણી, પ્રફુલ કમાણી, ધરમ ચંદ્રાણી, રાજેશ ગણાત્રા વિ.એ શ્રી મનહરભાઈ મજીઠીયાને જન્મદિનની શુભેચ્છા પાઠવેલ છે.(મો.૯૮૨૪૪ ૪૪૬૦૩)

(11:31 am IST)