Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

વસુંધરા ટ્રસ્ટના ટ્રસ્ટી અને સફળ સામાજીક અગ્રણી શ્રીમતી કાન્તાબેન કથીરિયાનો જન્મદિન

રાજકોટ તા. ૧૪ : એમ.એસ. કેન્સર સર્જન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમને ડો. વલ્લભભાઇ કથીરિયાના ધર્મપત્ની શ્રીમતી કાંતાબેન કથીરિયાનો આજે જન્મ દિવસ છે. તેમનો જન્મ ૧૯૫૭ ના વર્ષની ૧૪ ઓગષ્ટે થયેલ. આજે ૬૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુળ ધોરાજી તાલુકાના પાટણવાવમાં જન્મેલા અને સફળ સામાજીક અગ્રણી તથા સફળ ગૃહિણી એવા કાંતાબેન  વસંધરા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. લાયન્સ કલબ રાજકોટ મીડટાઉનના મંત્રી અને પ્રમુખ તરીકે તેમજ લાયન્સ કલબ રાજકોટના પ્રમુખ તરીકે રહી ચુકયા છે. વિજય બેંકના ડીરેકટર તરીકે તેમજ મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય રહી ચુકયા છે. સેવિકા મહિલા ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ તરીકે તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવિકા સમિતિના સક્રીય સભ્ય હોવા સાથે સરગમ કલબ એડવાઇઝરી કમીટીના સદસ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને પુત્રી ડો. નિષ્ઠા (એમ.ડી.એસ. ઇન્ડો સર્જરી ડેન્ટલ સર્જન અમદાવાદ), પુત્ર ડો. આત્મન (એમ.ડી. રેડીયો ડાયગ્નોસીસ, રાજકોટ), પુત્રવધુ ડો. ઘટના (એમ.ડી. પેથોલોજી, રાજકોટ), પૌત્રી ધ્યાનાએ જન્મદિનની શુભેચ્છા પાઠવી છે. (સંપર્ક મો.૯૮૨૫૦ ૫૯૪૨૭)

(12:03 pm IST)