Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

સ્વામિનારાયણ ગુરૂકુળના નિવૃત્ત આચાર્ય વી.ડી.વઘાસીયાનો આજે જન્મ દિવસ

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટના પૂર્વ આચાર્ય વી. ડી. વઘાસિયાનો આજે જન્મ દિવસ છે. ૬૭ વર્ષ પૂરા કરી ૬૮મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યા છે.

  શિક્ષણ ક્ષેત્રે શૂન્ય નિવેશ કાર્યક્રમો દ્વારા વઘાસિયાએ ઉલ્લેખનીય કામગીરી કરી અનેક એવોર્ડ મેળવ્યા છે. સુભદ્રા બેન શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, નવભારત રતન ઍવૉર્ડ ફોર ઍજ્યુકેશન એકસેલન્સ, વિવેકાનંદ યુથ કલબ ઍવૉર્ડ અને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક જેવા એવોર્ડથી સન્માનિત થઇ ચૂક્યા છે. સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયને શ્રેષ્ઠ શાળાના અનેક એવોર્ડ અપાવી ચૂક્યા છે. શાળાનું પરિણામ ૧૦૦ ટકા સુધી લાવવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે.શ્રી વઘાસિયાના જન્મદિવસ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટી સદ્દગુરુ શ્રી દેવકૃષ્ણદાસ જી સ્વામી તેમજ મહંત સ્વામીએ શુભાશિષ સહ અભિનંદન પાઠવ્યા છે. શાળાના આચાર્ય કિશોરભાઈ દવે, રાજ્ય આચાર્ય સંઘ મહામંડળના અન્વેષક ભૂપેન્દ્રસિંહ જાડેજા અને શહેર આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પંડયાએ અભિનંદન પાઠવી નિરામય જીવનની શુભકામનાઓ વ્યકત કરી છે.

(3:20 pm IST)