Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

રાજકોટના રઘુકુળ મેરેજ બ્યુરોના ચેરમેન અશોકભાઇ કુંડલીયાનો કાલે જન્મદિન

રાજકોટ તા. ૧૨ : સમગ્ર લોહાણા સમાજ માટે વર્ષોથી નિયમિત દર રવિવારે   સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ દરમિયાન નિઃશુલ્ક કામગીર કરતી સંસ્થા રઘુકુળ મેરેજ બ્યુરોના ચેરમેન અશોકભાઇ એચ. કુંડલીયાનો કાલે તા. ૧૩ ના બુધવારે જન્મ દિવસ છે. ૬૧ માં વર્ષમાં પ્રવેશી રહેલ અશોકભાઇ જીવન કોમર્શીયલ બેંકમાં ૪૧ વર્ષ સેવા બજાવી આજે તા. ૧૨ જુનના નિવૃત્ત થયા છે. હાલ રઘુકુળ મેરેજ બ્યુરોના ચેરમેન તેમજ રઘુવંશી રોયલ ગ્રુપના પ્રેસીડેન્ટ છે. અગાઉ રાજકોટ લોહાણા મહાજનમાં ૧૬ વર્ષ સુધી ટ્રેઝરર તથા કારોબારી ઉપપ્રમુખ રહી ચુકયા છે.

(2:39 pm IST)