Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

અક્ષરનિધિ શરાફી સહકારી મંડળીના ચેરમેન રાજેશભાઇ ચાવડાનો જન્મદિન

રાજકોટ તા. ૨૬ : છેલ્લા ૧૭ વર્ષથી વિમાક્ષેત્રે નોંધનીય કામગીરી કર્યા બાદ હાલ અક્ષરનિધિ શરાફી સહકારી મંડળી લી. ના ચેરમેન તરીકે સેવા આપી રહેલ શ્રી રાજેશભાઇ ચાવડાનો આજે જન્મ દિવસ છે. મુળ ગોખલાણા (તા.જસદણ) ના વતની અને હાલ રાજકોટ કર્મભુમિ બનાવનાર રાજેશભાઇ સરળ અને મિલનસાર સ્વભાવના છે. આહીર સંસ્કૃતિ ફોરમ સહીતની આહીર સમાજની અનેકવિધ સંસ્થાઓમાં સક્રીયતાથી જોડાયેલા છે. બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. વર્ષગાંઠ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૪૨૭૨ ૨૨૨૯૫ છે.

(1:07 pm IST)