Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2024

૧૦ વખત ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્‍ય મોહનસિંહ રાઠવાનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતમાં ધારાસભ્‍ય તરીકે સૌથી વધુ ૧૦ વખત ચૂંટાવાનો ઇતિહાસ ધરાવતા મોહનસિંહ છોટુભાઇ રાઠવાનો જન્‍મ ૧૯૪૪ ના વર્ષની ૪ એપ્રિલે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના બાર ગામમાં થયેલ આજે ૮૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં વનમંત્રી અને વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે રહી ચૂકયા છે.

વનવાસી સેવા સમાજ ટ્રસ્‍ટ, જેતપુર-પાવી, જેતપુર પાવી તાલુકા ઔદ્યોગિક સેવા સહકારી મંડળી, ડુંગરના વિભા મત્‍સ્‍યઉછેર સહકારી મંડળી, બાર ગ્રુપ વિવિધ કાર્યકારી સહકારી મંડળી જેતપુર-તાવી તાલુકા મજુર અને બાંધકામ સહકારી મંડળી વિ. વડોદરા જિલ્લા તથા ભરૂચ મંડળ, વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ, સરદાર ભવન વડોદરા, તુલસી સેવાશ્રમ ટ્રસ્‍ટ-પાવી, વડોદરા જિલ્લા પંચાયતની નાણા સમિતિ, વડોદરા જિલ્લા જેલ સમિતિ વગેરેમાં તેમનું યોગદાન છે. ફોન નં. (૦ર૬૬૪) ર૪ર૧ર૦, મો. ૯૮રપ૧ ર૯૭૦૦ છોટા ઉદેપુર

(4:52 pm IST)