Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જુનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં ફરી વધારોઃ વધુ બે કેસ નોંધાયા

જુનાગઢ સીટી અને માણાવદરમાં એક-એક નવો કેસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦  : જુનાગઢ જિલ્લામાં કોરોનાનાં કેસમાં ફરી વધારો થયો છે. વધુ બે નવા કેસ નોંધાતા ચિંતા વ્યાપી ગઇ છે.

તાજેતરમાં કોરોના પોઝીટીવ કેસની એન્ટ્રી ઝીરો થઇ જતા જુનાગઢ જિલ્લો કોરોના મુકત થયો હતો. પરંતુ એક દિવસ પછી  જિલ્લામાં એક નવા કેસ સાથે કોરોનાએ માથુ ઉચકયુ હતુ.

ગઇકાલે જુનાગઢ સીટી અને માણાવદરમાં એક-એક નવો કેસ નોંધાયો છતા જો કે, જુનાગઢ, કેશોદ અને માળીયાના એક-એક મળી કુલ ત્રણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

ગુરૂવારે જુનાગઢ કોર્પોરેશન વિસતારના ૩૪૮૭ અને ગ્રામ્યના ૮૬૯૬ મળી કુલ ૧ર,૧૮૭ લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી.

(1:10 pm IST)